અમદાવાદ: ગુજરાતમાં હાલ એલઆરડી ભરતી મુદ્દો વકર્યો છે. એક વર્ગની માંગ છે કે 1-8-18નો પરિપત્ર રદ કરાવમા આવે અને બીજા વર્ગની માંગ છે કે ન તો રદ કરવામાં આવે ન તો તેમાં સુધારો કરવામાં આવે. જો કે સરકાર અનામત કેટેગરીની મહિલાઓના વિરોધ સામે ઝૂકી હોય તેવું લાગે છે. કારણ કે હાઈકોર્ટમાં સરકારે કહ્યું કે આવતીકાલે નવો પરિપત્ર બહાર પાડીશું. નવા પરિપત્ર પ્રમાણે SC, ST, OBCની મહિલાઓને જનરલ કેટેગરીમાં લાભ મળશે. જો કે આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે બિન અનામત વર્ગની મહિલાઓમાં ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં 1-8-2018ના પરિપત્રને રદ કરવા સામે બિન અનામત વર્ગની મહિલાઓની વિશાળ રેલી કાઢવામાં આવી. બિન અનામત વર્ગના આગેવાનોએ ગાંધીનગર કલેકટરને આ મામલે આવેદન પત્ર પાઠવ્યું. મહિલાઓની આ રેલીમાં મહિલા ઉમેદવારો સાથે પાસના નેતા દિનેશ બાંભણિયાથી માડીને કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતના આગેવાનો જોડાયા હતાં. મહિલાઓ આ મુદ્દે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LRD ભરતી વિવાદ: બિન અનામત વર્ગની મહિલાઓ આક્રોશમાં, સરકાર સામે મોરચો ખોલવાની ચીમકી


અનામત કેટેગરીની મહિલાઓનું ઉપવાસ આંદોલન
વાત જાણે એમ છે કે LRDની ભરતીમાં અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના જીએડીએ બહાર પાડેલા તા.1-8-2018ના પરિપત્ર (ઠરાવ)ને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે મંગળવારે નમતું જોખી જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બિન અનામત ઉમેદવારોએ પરિપત્ર રદ ન કરવા તેમજ કોઈપણ સુધારો ન કરવાની માંગ સાથે આંદોલન પર ઉતરી છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO


LRD ભરતી મુદ્દો વકર્યો, આજથી અન્નજળ ત્યાગ કરી દિનેશ બાંભણિયા ઉપવાસ પર ઉતર્યાં


રાજ શેખાવત - કરણી સેના પ્રમુખ
આ મુદ્દે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે કહ્યું કે પરિપત્રમાં ફેરફાર કરતા પહેલા સરકારે બિન અનામત વર્ગની કમિટી સાથે ચર્ચા કરવી પડશે. જો તેમની સાથે કઈ ખોટું થશે તો અમે તેમની પડખે રહીશું અને તેમને ન્યાય અપાવીશું. તેમણે એમ પણ કહ્યું કે સરકારે હાઈકોર્ટમાં જે એફિડેવિટ કરી છે તેનાથી બિન અનામતવર્ગને નુકસાન જ છે. તેમણે કહ્યું કે અનામત વર્ગની બહેનોને એપોઈન્ટમેન્ટ લેટર મળી ગયા છે સીટો ફૂલ થઈ ગઈ છે. પરંતુ બિન અનામતવર્ગની બહેનોને હજુ મળ્યાં નથી. જો બિન અનામત વર્ગને ન્યાય ન મળે તો તો કોઈ પણ બિનઅનામત વર્ગના નેતાઓને મત નહીં આપવાનો. ભલે પછી નોટા દબાવવો પડે. સરકારની નીતિઓ વર્ગવિગ્રહ કરાવી રહી છે. આ સરકારની નીતિઓ દેશને લઈને ડૂબશે.


કાયદાકીય લડાઈ લડી લઈશું- દિનેશ બાંભણિયા
એક પત્રકાર પરિષદમાં દિનેશ બાંભણિયાએ કહ્યું કે, 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર અમારો બંધારણીય અધિકાર છે. એની સાથે કોઇ બાંધછોડ નહિ થાય. ત્યારે તેની વિરુદ્ધમાં ગુજરાતમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે. આજે કલેક્ટરને રજૂઆત કરીશું. સરકાર પરિપત્રમાં કોઇપણ ફેરબદલ કરે એમાં બિન અનામત વર્ગને વિશ્વાસમાં લે. સરકાર એક તરફી નિર્ણય લેવા જઈ રહી છે, ત્યારે અમે કાયદાકીય લડાઇ લડીશું. મુખ્યમંત્રીને મળીને રજુઆત કરવામાં આવશે. એલઆરડી ભરતીમાં માત્ર બિન અનામત વર્ગના લોકોને જ ઓર્ડર આપવામાં આવ્યા નથી. જો સરકાર અમારી વાત નહિ માને તો આજથી ઉપવાસ છાવણી પર આંદોલનની શરૂઆત કરીશું. અમે અમારી સાથે થયેલા ભેદ ભાવને સાંખી લઇશું નહી.


વધુ વિગતો માટે જુઓ VIDEO 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube